લગ્નના પાંચ પાંચ વર્ષ વિતી ગયા છતાં અણ બનાવ માં પગલું ભરી જીવન ટૂંકાવ્યું
સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
ઉચ્છલ તાલુકાના વડદા ગામે પતિ એ પત્ની ની સામે ઊભા રહી પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી બનાવની વાત કરીએ તો વડદા ગામે સાડા ને ત્યાં મહારાષ્ટ્ર ના અજયભાઈ અને તેમની પત્ની રેહવા માટે આવ્યા હતા
ત્યારે પારિવારિક ઝઘડા કે અગમ્ય કારણોસર અજય એ પેટ્રોલ પોતાના શરીરે છાંટી લીધું હતું અને આગ ચાપી દેતા અજય 90 ટકા દાઝી ગયો હતો જેને લઇ અજય ને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતો જ્યાં ડોકટરોની સારવાર સમયે તેમનું મોત નિપજ્યું છે જેને લઇ મૃતકના પિતાએ સતિષભાઈ એ કહ્યું કે અજય માત્ર 32 વર્ષ નો હતો અને તેમના લગ્ન જીવન ને પાચ વર્ષ થયાં હતાં અને પરિવાર માં એક નો એક દીકરો હતો અને સળિયા સેન્ટિગ કરી પરિવાર ને મદદ રૂપ થતો હતો પરંતુ અચાનક આવું પગલું ભરી લેતા પરિવાર પણ સ્તબધ થઈ ગયો હતો
જ્યારે અજય નું સારવાર દરમિયાન પોલીસે નિવેદન લેતા અંગત ઝઘડા માં આવું પગલું ભરી લીધું હતું એવું જાણવા મળ્યું હતું જોકે તેમની પત્ની એ પણ આજ પ્રકાર નું નિવેદન આપ્યું હતું જેને લઇ અંતિમ પગલું ભરવા પાછળ નું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી બનાવને પગલે ઉચ્છલ પોલીસે હાલ તો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ..