સુરત ધુલિયા રોડ ઉપર બાજીપુરા ગામેનો બ્રીજ જુનો અને જર્જર્તિત હોવાથી તેના પર ભારે વાહનોની અવર-જરવ બંદ કરી વાહન- વ્યવહારના રૂટ પર ડાયર્વઝન આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
બાજીપુરા ગામેનો બ્રીજ જુનો અને જર્જર્તિત હોવાથી સુરત ધુલિયા રોડ ઉપરના ભારે વાહનોને અવર-જવર માટે મુશ્કેલી ન પડે તે માટે ઇ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાગર મોવલીયાએ જાહેરનામું બહાર પાડ્યું છે
જેમાં વ્યારા-વાલોડ તરફ આવન-જાવન માટે સોનગઢ-સુરત (એનએચ ૫૩) હાઇવેથી સુમુલ ડેરીથી બાજીપુરાથી ઇ.એસ.એચ.-૫ (વાલોડ તરફ જવા માટે) રોડનો ઉપયોગ કરવા અંગે તથા બાજીપુરાથી-સુમુલ ડેરી સોનગઢ-સુરત (એન.એચ ૫૩) હાઇવે (વ્યારા તરફ જવા માટે)નો ઉપયોગ કરવા જણાવ્યું છે.આ જાહેરનામુ તા.૩૦.૧૨.૨૦૨૩ સુઘી અમલમાં રહેશે. ઉપરોકત હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધમાં ઈન્ડીયન પીનલ કોડ- ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.