સમય ક્રાંતિ ન્યૂઝ..
બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ ચાહકોની મનપસંદ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. હવે ટૂંક સમયમાં જ આ યુનિવર્સની નવી ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ થિયેટર્સમાં રિલીઝ માટે તૈયાર છે અને ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ હવે આવી રહેલા સમાચાર ચાહકોને થોડા નિરાશ કરી શકે છે.
થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં સુપરસ્ટાર સલમાન ખાન પણ તેના સુપરકોપ અવતારમાં જોવા મળશે. અહેવાલો અનુસાર સલમાન ખાન ‘સિંઘમ અગેન’માં ચુલબુલ પાંડેનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. પરંતુ હવે મેકર્સે પ્લાન બદલ્યો છે. ચાહકોને સિંઘમ અગેઈન ફિલ્મમાં સિંઘમ અને ચુલબુલ પાંડેની દોસ્તી જોવા નહીં મળે.
એક રિપોર્ટ અનુસાર ‘સિંઘમ અગેઈન’ માટે સલમાનનો કેમિયો 14 ઓક્ટોબરે શૂટ થવાનો હતો પરંતુ 12 ઓક્ટોબરે સલમાનના ખાસ મિત્ર રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા થઈ. બાબાના મૃત્યુ બાદ ‘સિંઘમ અગેઈન’ના નિર્માતાઓએ સલમાનનો કેમિયો કેન્સર કર્યો છે.
રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સિંઘમ અગેઈનમાં કેમિયો માટે સલમાન ખાનનું એક દિવસનું શૂટિંગ ગોલ્ડન ટોબેકો, મુંબઈ મેનન ખાતે પ્લાન કરાયું હતું. પરંતુ બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. રોહિત શેટ્ટી અને અજય દેવગણે બાબા સિદ્દીકીની હત્યા બાદ ચર્ચા કરી હતી. બંનેને લાગ્યું કે બાબા સિદ્દીકીની હત્યા અને ત્યાર બાદ ઉઠેલા વિવાદ વચ્ચે સલમાનને કેમિયોના શૂટિંગ માટે રિક્વેસ્ટ કરવી અસંવેદનશીલ રહેશે. તેઓ સલમાનને ડિસ્ટર્બ કરવા માંગતા નહોતા.