સમય ક્રાંતિ ન્યૂઝ..
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા સહિત અન્ય માછીમારો નાવડી લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળામાથી મચ્છી કાઢવા ગયા હતા.ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો. તેને જાળ બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યુ હતું. આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમા તરતો હતો.
પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોવાથી ઉચકાતો પણ ન હતો. આશરે એક કિ્વીન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય માછીમારોની મદદથી ભારે જહેમતથી તેઓની બોટ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા.
દરિયા કિનારે તેને મુકી પાણીથી સાફ-સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદર શંખ, નાની મૂર્તિઓ હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડયા હતા.
વધુ સમાચાર મેળવવા માટે..samaykranti.com