સમય ક્રાંતિ ન્યૂઝ..
ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.આ ઘટનાને આજે એક અઠવાડીયું થયું ત્યારે હજુ પણ ધારાસભ્ય ચૈતર વસાવા ક્યાં છે તેની કોઈને ખબર નથી.નર્મદા પોલીસ અલગ અલગ વિસ્તારમાં ચૈતર વસાવાને શોધી રહી છે. ત્યારે બીજી તરફ ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેનની ધરપકડ બાદ તબિયત બગડતા વધુ સારવાર માટે તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમ જ પોલીસે ચૈતર વસાવાના પી.એ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશની ધરપકડ કરી હતી.
શનિવારે નર્મદા જિલ્લા સ્થિત રાજપીપળાની જિલ્લા કોર્ટમાં તેઓની જામીન માટેની અરજી હતી. આ અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રિજેક્ટ કરી દેવામાં આવી છે. એટલે કે આ તમામ આરોપીઓએ હવે જેલમાં દિવાળી ઉજવવી પડશે.
બીજી તરફ ચૈતર વસાવાની આગોતરા જામીન અંગેની સુનવણી 20 નવેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે.એટલે કે 20 તારીખ સુધી તેમની ધરપકડ પણ પોલીસ કરી શકે છે, કારણ કે આગોતરા જામીન માટેની તારીખ 20 નવેમ્બર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી થનાર છે.ત્યારે લાગી રહ્યું છે કે દિવાળીના દિવસો દરમિયાન પણ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના વતન આવી શકે નહી.હાલમાં તેઓ ક્યાં છે તેની કોઈને ખબર નથી ત્યારે આ મુદ્દો બીજી તરફ રાજકીય રીતે પણ ગરમાઈ રહ્યો છે.