સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના કટાસવાણ ગામમાં એક પશુપાલક ના ધર ના કોઢારમાં અચાનક આગ લાગતાં એક વાછરડા નું દાઝી જવાથી કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય પશુ ઓ દાઝી જતા ઈજાઓ થઈ હતી
વ્યારા તાલુકાના કટાસવાણ ગામના સિંગલ ફળિયા માં રહેતા સુકરિયા ભાઈ ગામીત પશુપાલન સાથે સંકળાયેલા છે જેને લઇ તમને ઘરે પશુઓ પડ્યા હતા ત્યારે તેમના કોઢાર માં અચાનક કોઈક અગમ્ય કારણોસર આગ લાગી જતાં કોઢાર માં બાંધેલા એક વાછરડાનું મોત નિપજ્યું છે જ્યારે બે જેટલા પશુ ને ઈજાઓ થઈ હતી બનાવને લઈ ગામ ના લોકો અને પરિવાર દ્વાર પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો ત્યારે આ આગ ના કારણે પરિવાર પર આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા સર્વ સહિત ની કામગીર કરી જરૂરી સહાય ચૂકવવા આવે તેવી માગ પ્રબળ બની છે.