સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત રાજ્યમાં હોસ્પિટલ સંચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે.ગુજરાત હાઇકોર્ટમાં માંડલમાં થયેલા અંધાપા કાંડ મુદ્દે સુઓમોટોની જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે.
અત્યાર સુધી 50 કે તેથી વધુ બેડ વાળી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત હતું
અત્યાર સુધી 50 કે તેથી વધુ બેડ વાળી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત હતું.જ્યારે સુધારા બાદ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલો એ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ચેરીટેબલ, ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજીસ્ટ્રેશનની પણ કરાઈ માંગ
ચેરીટેબલ, ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની માંગ કરવામાં આવી છે. માંડલમાં થયેલા આંધાપા કાંડ જેવી ઘટનાઓ ફરીથી ના બને એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે. આ કેસમાં વધુ સુનાવણી આગામી 22 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
વધુ સમાચાર મેળવવા માટે..samaykranti.com..