સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો થયો છે. ગુજરાત બોર્ડરને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે. જેને લઇ તંત્ર એલર્ટ મોડ પર આવી કાર્યવાહી હાથ ધરી છે જોકે ડુક્કરોના મોત ને પગલે સમગ્ર પંથકમાં ચિંતા સેવાઈ રહી છે
આફ્રિકન સ્વાઈન ફ્લૂના કારણે નંદુરબાર જિલ્લાના શાહદાના મસાવદ ગામમાં 100 જેટલા ડુક્કરના મોત થયા હોવાનો અહેવાલ મળી રહ્યો છે. મહારાષ્ટ્રના મસાવદમાં ભૂંડના મોત બાદ પરીક્ષણ કરી નમૂના ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા.હાલ મસાવદ ગામના 10 કિલોમીટર વિસ્તારને તંત્ર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયો છે.
વધુ સમાચાર મેળવવા માટે..