સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝોલાપુર ગામમાં તળાવનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ તળાવ બ્યુટીફિકેશન અંતર્ગત ગ્રામજનો માટે પુનઃજીવિત તળાવને ખુલ્લો મુક્યો હતો. અહીં બાળકો માટે બાળકોનું રમતનું મેદાન પણ બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત અહીં કોમ્યુનિટી હોલ અને સ્મશાનગૃહનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે યુ.એન.એમ. ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપ)ના સહયોગથી ઝોલાપુર ગામમાં તળાવ, બાળકો માટે રમતનું મેદાન, કોમ્યુનિટી હોલ અને સ્મશાનગૃહનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અંદાજે 3.50 કરોડના ખર્ચે આ નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચાર મેળવવા..