સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત ભુસ્તર વિભાગે ગેરકાયદેસર રેતી અને માટી ચોરી કરનાર સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં છેલ્લા આઠ મહિનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારને પકડી પાડી રૂ.7 કરોડ જેટલો દંડ વસૂલ કર્યો છે.પરંતુ વાસ્તવિક સચ્ચાઈ કોઈ ઓર છે ..? ગેરકાયદેસર રેતી અને માટી ની ચોરી બાબતે વારંવાર ફરિયાદ છેક ગાંધીનગર સુધી થાઈ ત્યારે કાર્યવાહી થાઈ છે પરંતુ કરોડ રૂપિયા ની ચોરી થાઈ ગયેલી હોય છે …?
સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી તાપી નદીમાંથી રેતી ખનન માટે ભુસ્તર વિભાગ દ્વારા અધિકૃત લીઝ આપવામાં આવે છે. છતાં પણ જિલ્લા માંથી પસાર થતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.આ સઁદભે વારંવાર સાથનિક લોકો ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નથી કરવામાં આવતી પરંતુ ગાંધીનગર ખાતે ફરિયાદ થાઈ ત્યારે ભૂસ્તર વિભાગ સક્રિય થાઈ છે અને કાર્યવાહી કરવામાં આવે છે આ બાબતે ભૂસ્તર વિભાગ ના કેટલા કર્મચારી ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો સાથે સંબંદ ઘરાવે છે ભૂસ્તર વિભાગ ટિમ દરોડો પડે તે પહેલા જાણ થાઈ છે જેના લીધે ગેરકાયદેસર રેતી ખનન કરતા પકડતા નથી એ પણ સત્ય છે ..?
સુરત ભુસ્તર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાબતે વર્ષ 2023 માર્ચથી 2024 જાન્યુઆરી દરમિયાન ભુસ્તર વિભાગે રેતી ચોરીના 388 કેસ કર્યા હતા. જેમાં રેતી ચોરી કરતા ચોરો પાસે રાજ્ય સરકારે દંડ પેટે રૂ.7 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. ભુસ્તર વિભાગ ધ્વરા કરવામાં આવેલ દરોડા ની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રેતી ઉપરાંત 200થી વધુ વાહનો કબજે લેવામાં આવ્યા હતા . ભુસ્તર શાસ્ત્રી ડિ.કે.પટેલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રેતી અને માટી ખનન બાબતે ફરિયાદ મળતા કાર્યવાહી કરવમાં આવતી હતી .અને હમારી ટિમ જે સ્થળે બાબતે જાણકારી મળે ત્યાં દરોડો પડી રહ્યા છે .? એટલે ગુજરાત માં સુરત રોયલ્ટી બાબતે બીજા જિલ્લા કરતા આગળ છે
રાજયમાં સુરત રોયલ્ટીની આવકમાં બીજા ક્રમે
દક્ષિણ ગુજરાત જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખનીજ પેદાશોની રોયલ્ટી જેવી કે રેતી, માટી, ક્વોરી, ઇંટના ભઠ્ઠા વગેરેની રોયલ્ટી વસૂલવામાં આવે છે. જેમાં સુરત ભુસ્તર વિભાગે માર્ચથી જાન્યુઆરી દરમિયાન કુલ 101 કરોડની રોયલ્ટી વસૂલવામાં આવી છે. સૌથી વધુ રોયલ્ટીની આવક રાજય સરકારમાં જમા કરાવવામાં અન્ય જિલ્લા કે શહેરમાં સુરત બીજા ક્રમ પર છે.આટલી મોટી ખનીજ પેદાશો ની રોયલ્ટી પકડાતી હોય તો ગેરકાયદેર લોકો કેટલી રેતી અને માટી ચોરી ની કરોડો રૂપિયા કરતા હશે …? રાજય સરકાર દ્વારા સુરત ભૂસ્તર અધિકારી કેમ વારંવાર એક જગ્યા પર આવે છે ..?આ બાબતે પણ રાજ્ય સરકાર ખનન ખનીજ વિભાગ ના મુખ્ય સચિવ કે અધિક સચિવ એ તાપસ કરવી જોયે .?સુરત ના આ ભૂસ્તર અધિકારી પર ભષ્ટાચાર બાબતે ફરિયાદ ઉઠવા પામી હતી …?
વધુ સમાચાર મેળવવા.. samaykranti.com