સમય ક્રાંતિ ન્યૂઝ..
મલાઈકા અરોડાને લઈને દુખદ સમાચાર આવી રહ્યાં છે. ખરેખર અભિનેત્રીના પિતાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોડાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર પછી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.
હાલ મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અનિલ અરોડાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.