સમય ક્રાંતિ ન્યૂઝ..
ઋતુરાજ સિંહે માત્ર ટીવી જ નહીં પરંતુ ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ શાનદાર કામ કર્યું છે. તેઓ તેમના દરેક પાત્રને સરળતાથી કરતા હતા. આ જ કારણ હતું કે તેનની એક્ટિંગ હંમેશા લોકોના દિલને સ્પર્શી જાય તેવી હતી. ટીવી શોની વાત કરીએ તો ઋતુરાજે હિટલર દીદી, શપથ, અદાલત, આહત, દિયા ઔર બાતી જેવા શોમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે અનુપમામાં જોવા મળ્યા હતા.
એન્ટરટેરમેન્ટની દુનિયામાંથી દુ:ખદ અને શોકિંગ અહેવાલ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 59 વર્ષની વયે અભિનેતાએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. અભિનેતાના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. પીઢ કલાકારના મૃત્યુના સમાચાર તેમના ચાહકો માટે એક મોટો આઘાત સમાન છે. પરિવારજનો પણ આઘાતમાં છે. અભિનેતા અમિત બહલે ઋતુરાજના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જે પછી તેનું મૃત્યુ થયું હતું.
ઋતુરાજ સિંહના મૃત્યુથી સંદીપ સિકંદ ભાંગી પડ્યા
નિર્માતા સંદીપ સિંકડ પણ ઋતુરાજ સિંહના નિધનથી ખૂબ જ દુઃખી છે. અભિનેતાના મૃત્યુ પર તેણે કહ્યું- હું આઘાતમાં છું. આ સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે. આજે સવારે કોઈએ મારા વોટ્સએપ ગ્રુપ પર આ સમાચાર શેર કર્યા અને ત્યારથી હું આઘાતમાં છું.