સમય ક્રાંતિ ન્યૂઝ..
સ્વચ્છતાની અલખ જગાવનાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સ્વચ્છ ભારત”નું સુત્ર આપ્યું હતું ફરી એકવાર વડાપ્રધાનશ્રી એ “ગદંકી-ભારત છોડો”નું સુત્ર આપી સ્વચ્છતા પર ભાર મુક્યો છે.
ત્યારે આ જનભાગીદારી સાથે ફરી એક વાર તાપી જિલ્લા સહીત ગુજરાતને સ્વચ્છ બનાવવાની નેમ સાથે તાપી જિલ્લાના વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન જનભાગીદારીથી હાથ ધરવામાં આવી રહ્યું છે. આજરોજ વાલોડ તાલુકાના દાદરીયા ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે સામુહિક સાફસફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતાલક્ષી શ્રમદાનમાં જાગૃત ગામજનો તેમજ સરપંચ, આરોગ્ય વિભાઞના કર્મચારીઓએ ભાગીદારી નોંધાવી હતી.