સમય ક્રાંતિ ન્યૂઝ..
એનસીપી અધ્યક્ષ અંતરવાલી ગામથી નીકળી રહ્યા હતા, ત્યારે પોલીસની સુરક્ષા વચ્ચે આ ઘટના બની. પથ્થરમારામાં પોલીસની ગાડીનો પાછળનો કાંચ તૂટી ગયો હતો
હારાષ્ટ્રના જાલના (Jalna) જિલ્લામાં હિંસા રોકાવાનું નામ લેતી નથી. હવે એનસીપીના વડા શરદ પવાર (Sharad Pawar) ના કાફલા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એનસીપી અધ્યક્ષ અંતરવાલી ગામથી નીકળી રહ્યા હતા.
પોલીસની સુરક્ષા વચ્ચે પથ્થરમારો
ખરેખર તો શુક્રવારે રેલી બાદ શનિવારે સવારે જાલના શહેરમાં દેખાવકારોઅ ને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. તેમાં સંભાજીનગર ગ્રામીણ પોલીસની ટીમ પર પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસ ટીમ શરદ પવાર સાથે કાફલામાં હતી. તે સમયે જ પથ્થરમારની ઘટના બની હતી.
પોલીસની ગાડીનો કાંચ તૂટ્યો
પથ્થરમારામાં પોલીસની ગાડીનો પાછળનો કાંચ તૂટી ગયો હતો. ગ્રામીણ પોલીસ દળના ડીએસપી દેવદત્ત ભાવરની કારમાં પણ તોડફોડ કરાઈ હતી. મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા અનામતની માગ અંગે શુક્રવારે હિંસા ભડકી હતી. પોલીસના જણાવ્યાનુસાર હિંસામાં આશરે 40 પોલીસકર્મી અને અમુક અન્ય લોકો ઘવાયા હતા.