બાલપુર ગામે કર્દમેશ્વર મહાદેવ મંદિરમાં શિવલીંગ ત્રેતાયુગથી અહી બિરાજમાન છે

સમય ક્રાંતિ ન્યૂઝ..

મહાશિવરાત્રી ને લઇ ને શિવ મંદિરો માં  તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લાના આવેલા બાલપુર ગામે સાક્ષાત દેવોના દેવ મહાદેવ કર્દમેશ્વર મહાદેવના મંદિરે સ્વયંભૂ બિરાજમાન છે. આ મંદિરનું શિવલિંગ ત્રેતાયુગથી અહીં છે અને કર્દમેશ્વર મહાદેવના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રીના દિવસે લોકો મોટી સઁખ્યાં માં અહીં દર્શન માટે આવે છે.

તાપી જિલ્લાના બાલપુર ગામે બિરાજેલા કર્દમેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં સાક્ષાત દેવોના દેવ મહાદેવ ત્રેતાયુગથી અહીં બિરાજમાન છે. જેનો ઉલ્લેખ પવિત્ર રામાયણ , મહાભારત તેમજ તાપી પુરાણમા પણ છે. આ અંગે મંદિર ના પૂજારી બ્રહ્મરિશી મહારાજ કહે છે કે  મંદિર સાથે આમ તો ઘણી દંતકથાઓ જોડાયેલી છે પરંતુ એવું કહેવામાં આવે છે કે ત્રેતાયુગમાં શ્રી કદમ મુનિએ મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યું હતું. જે તપ થી પ્રસન્ન થઈ શિવજીએ કદમ મુનિને પોતાની મનોકામના પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કદમ મુનિએ શિવજી પાસે માનવ માત્ર તેમજ પ્રાણી માત્રના કલ્યાણ હેતુ શિવલિંગ સ્વરૂપે અહીં બિરાજમાન થવા જણાવ્યું હતું. ત્યારથી સાક્ષાત દેવોના દેવ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે અહીં બિરાજમાન છે અને ભક્તો કર્દમેશ્વર મહાદેવના નામથી તેઓની પૂજા અર્ચના કરે છે. અને અહીં બિરાજેલા મહાદેવ દરેક ભક્તોની મનો કામના પૂર્ણ કરે છે.

સુરત જિલ્લામાં પાંચ મહાદેવના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દર્શન કરવાથી મનોકામનાપૂર્તિની દંતકથા પણ છે

કર્દમેશ્વર મહાદેવ મંદિર સાથે બીજી પણ એક એવી દંત કથા જોડાયેલી છે કે સુરતના એક રાજાએ સુરત જિલ્લામાં આવેલા પાંચ મહાદેવ કે જેઓને પાંચ ભાઈઓ કહેવામાં આવે છે.  જેમાં કેદારેશ્વર મહાદેવ , કણકેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ , કંતારેશ્વર મહાદેવ અને કર્દમેશ્વર મહાદેવ આ પાંચેય ભાઈઓની સૂર્યોદયથી સૂર્યાસ્થ સુધીમાં દર્શન કરીને રાજાની મનોકામના પૂર્ણ થઈ હતી. જે પ્રથા અનુસાર શિવભક્તો આજે પણ આ પાંચેય ભાઈઓના દર્શન કરવાનું ચુકતા નથી .

ગરમ પાણીના કુંડમાં સ્નાનથી રોગો દુર થતા હોવાની માન્યતા

કર્દમેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક તો છે જ તેની સાથે મંદિરના બાજુમાં એક ગરમ પાણીનું કુંડ આવેલો છે જ્યાં શિવભક્તો સ્નાન કરે છે. અને એવું માનવામાં આવે છે કે આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી શારીરિક પીડાઓ દૂર થાય છે. તેજસ ચૌધરી કહે છે કે કર્દમેશ્વર મંદિરનું પોતાનું એક મહત્વ છે. અહીં આવી ને અમને શાંતિ લાગે છે. અને ગરમ પાણીમાં કુંડમાં શરીરના દરેક રોગોમાંથી મુક્તિ મળે છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી