સમય ક્રાંતિ ન્યૂઝ..
આદિવાસી નેતા અનંત પટેલ સામે ભાજપે વાંસદાનાં ઝરી ગામનાં રહીશ આદિવાસી શિક્ષિત ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારતા વાંસદા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે.વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોને ટિકિટ મળશે તેની ઉત્સુક્તા જોવા મળી હતી. વર્તમાન સાંસદ ડો. કે.સી.પટેલનાં સ્થાને નવો ચહેરો આવશે એવી નિશ્ચિતતાઓ અગાઉથી વર્તાતી હતી. જોકે તેમની ટિકિટ ઘરમાં જ રહેશે અને તેમના વહુ ઉષાબેન પટેલને લોકસભાની ટિકિટ મળે એવી વાતો કેટલાક રાજકારણીઓ છાતી ઠોકીને કહેતા હતા. આ ઉપરાંત મહેન્દ્ર ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું
ધરમપુરનાં ડો.ડી.સી.પટેલનાં જમાઈ પણ આ રસમાં હતા. પરંતુ આખરે આજે ભાજપ એ જે લિસ્ટ જારી કર્યું. તેમાં નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ઝરી ગામનાં રહીશ એવા ધવલ પટેલને લોકસભાની ટિકિટ આપતા સંપૂર્ણ ચર્ચાઓનો અંત આવી ગયો છે. સાથે જ આ ધવલ પટેલ કોણ છે તે જાણવા લોકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી.વાંસદા તાલુકાનાં ઝરી ગામનાં રહીશ ધવલ પટેલ આમ તો સુરતમાં પણ ઘર ધરાવે છે. અને છેલ્લા ઘણા સમયથી ભાજપ આદિવાસી મોર્ચનાં રાષ્ટ્રીય સોશિયલ મીડીયા ઈન્ચાર્જ છે. ૩૮ વર્ષીય ધવલ પટેલે બી.ટેક.એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અને હાલમાં એમબીએ માર્કેટિંગ કરે છે. ધવલ પટેલે ભારત કે જનજાતિંય ક્રાંતિવીર સહિત અનેક પુસ્તકો પણ લખ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કરીબી હોવાનું કહેવાય છે.
કોંગ્રેસે ગતરોજ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આદિવાસી નેતા તરીકે લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલનું નામ જાહેર કર્યું હતું. તેની સામે ભાજપ પણ વાંસદાનાં રહીશ એવા ધવલ પટેલને ઉમેદવાર બનાવતા નવસારી જિલ્લાનાં બંને ઉમેદવારો વલસાડ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. ધવલ પટેલનું નામ આજે અચાનક જ સ્કાઈલેબની જેમ નામ આવી જતા લોકોમાં ધવલ પટેલ કોણ તે જાણવા ભારે ઉત્સુક્તા વર્તાઈ હતી. અંતે ધવલ પટેલ વાંસદાનાં રહીશ હોવાનું અને ખૂબ જ જ્ઞાની હોવાનું જાણવા મળ્યું હતું.