સમય ક્રાંતિ ન્યૂઝ..
વાંસદા તાલુકાના ખાનપુર બારતાડ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવાતી હોવાનો વિડીયો વાઇરલ થયો હતો જે અંગે એક અઠવાડિયુ વિતવા છતાં આચાર્ય સામે કોઈ પગલા લેવામાં ના આવતા માનવ સુરક્ષા સંગઠને જિલ્લા કલેક્ટર સહિત પ્રાથમિક શિક્ષણ નિયામક, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી હતી.
જેમાં આચાર્યને તાત્કાલિક ધોરણે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અધિકારીને જણાવવાનું કે, વાંસદા તાલુકાની ખાનપુર – બારતાડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ભર બપોરે તાપમાં પાવડાï-તગારા વડે મજુરી જેવું કામ કરાવી રહયાનો વિડિયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયો હતો.
જે બાબતે ખરેખર વાઈરલ વિડીયો વિશે સાચી હકીકત જાણવા અને નિવેદન માટે બે પત્રકારો શાળામાં ગયેલા. જે નિવેદન ન આપતા પરિચય પણ ન પૂછતાં સી.આર.સી. શૈલેષભાઈની હાજરીમાં આચાર્ય કમલ ઠાકુરે પત્રકારો સાથે તોછડું અને અભદ્ર વ્યવહાર કરી અપમાનીત કરાયા જે કયા કારણે અપમાન કર્યુ? ત્યારબાદ ઈલેટ્રોનિક પ્રિંટ મિડિયામાં વાઈરલ વિડીયોના અહેવાલ આવતા પોતાના બચાવ માટે આચાર્ય કમલ ઠાકુર જણાવે છે કે, વિડીયો અધૂરો છે.
શાળાકીય ઈકો કલબ અંતર્ગત પ્રવૃતિ કરાવી હતી. તો શાળામાં જે પણ અન્ય પ્રવૃત્તિ બાળકો પાસે કરાવવામાં આવે તો તેના વિડીયો, ફોટા સમય સાથે રેકોર્ડમાં રાખવાનાં હોય છે. સી.સી.ટી.વી. કેમેરા પણ શાળામાં છે તો ઈકોકલબ અંતર્ગત કામગીરીના વિડીયો અને આચાર્યે જણાવેલ છે કે અધૂરો વિડીયો વાઈરલ થયો હતો તો એમના રેકોર્ડમાં સંપૂર્ણ વિડીયો હોય સાથે સીસીટીવી રેકોર્ડ પણ રજૂ કરે અને જરૂરી તપાસ કરી તાત્કાલિક આચાર્ય વિરૂધ્ધ દંડાત્મક પગલા લઈ સજા થાય તેવી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી.