સમય ક્રાંતિ ન્યૂઝ..
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુબઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેને દીકરીઓ વિશે પ્રવચન કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયો છે. ત્યારે આ વીડિયોમાં બે કોમ વચ્ચે વૈમનશ્ય ફેલાઈ તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહયો છે તેવા આક્ષેપો સાથે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ વાંસદા તાલુકા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
લોકસભા-૨૦૨૪ નાં રાજકોટના ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પૂરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુબઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેન દીકરીઓ વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું. જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહયો છે.
તેમજ પુરુષોત્તમ રૂપાલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયો છે. તેમાં બે કોમો વચ્ચે વૈમનશ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવા પ્રયત્ન કરવામાં આવી રહયો છે. અને ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેવા આક્ષેપો સાથે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહે છે.
સમગ્ર મામલાને લઈને વાંસદા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહયો છે. ત્યારે વાંસદા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા પ્રાંત અધિકારી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની લોકસભા ઉમેદવાર તરીકેની તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને જો માંગણી સંતોષમાં નહીં આવે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ પર જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે તે ભાજપ વિરુદ્ધમાં થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.