સમય ક્રાંતિ ન્યૂઝ..
આઇ પી એલ પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝન શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ મોટાભાગની ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે દિલ્હી કેપિટલ્સ ટીમના ખેલાડી રિષભ પંતને હજુ સુધી આઈપીએલ રમવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)માંથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી.
પરિણામે ક્રિકેટ નિષ્ણાતો અને ફેન્સમાં શંકા થઈ રહી છે કે, પંત આઈપીએલ રમશે કે નહીં.મળેલા અહેવાલો મુજબ નેશનલ ક્રિકેટ એકેડમીના નિષ્ણાતોનું માનવું છે કે રિષભ પંતની ફિટનેસ મેચ રમવા માટે યોગ્ય નથી. જયારે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે આ મુદ્દે કહ્યું કે તેમની પાસે આ વિશે વધુ માહિતી નથી. પરંતુ જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે દિલ્હી કેપિટલ્સ માટે સારા નથી.
IPL 2024ની શરૂઆત પહેલા વાપસી કરશે કે કેમ.!
તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે રિષભ પંત અમારી ટીમનો કેપ્ટન રહેશે. આ પછી સતત એવી અટકળો ચાલી રહી હતી કે પંત IPL 2024ની શરૂઆત પહેલા વાપસી કરશે. પંત આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જર્સીમાં મેદાનમાં જોવા મળશે, પરંતુ હવે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ અને ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. રિષભ પંતને હજુ સુધી આઈપીએલ રમવા માટે ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી. જોકે હજુ સુધી આ મુદ્દે સત્તાવાર માહિતી સામે આવી નથી. તેથી આ સિઝનમાં રિષભ પંતના રમવા પર સસ્પેન્સ છે.