કેન્દ્ર સરકારે પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત

સમય ક્રાંતિ ન્યૂઝ..

કેન્દ્ર સરકારે શનિવારે 7 સપ્ટેમ્બરે પૂર્વ તાલીમાર્થી અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત કરી છે. તેમની સામે આઈએએસ (પ્રોબેશનરી) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પૂજા 2023 બેચની IAS ટ્રેઇની હતી. તેણે CSE-2022માં 841મો રેન્ક મેળવ્યો હતો. તે જૂન 2024 થી તાલીમ લઈ રહી હતી. તેના પર અનામતનો લાભ લેવા માટે સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં પોતાના વિશે ખોટી માહિતી આપવાનો આરોપ છે.

UPSCએ તેની તપાસમાં પૂજાને દોષિત ગણાવી હતી. આ પછી 31 જુલાઈએ પૂજાનું સિલેક્શન કેન્સલ કરવામાં આવ્યું હતું. પૂજા પર તેની ઉંમર, તેના માતા-પિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો. પસંદગી રદ થતાં પૂજાએ પોતાનું પદ ગુમાવ્યું હતું. તેને ભવિષ્યમાં યુપીએસસીની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ છે.પૂજાએ 28 ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે UPSCને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી. પૂજાએ કહ્યું કે UPSC એ 2019, 2021 અને 2022 ના વ્યક્તિત્વ પરીક્ષણો દરમિયાન એકત્રિત બાયોમેટ્રિક ડેટા (હેડ અને ફિંગરપ્રિન્ટ્સ) દ્વારા મારી ઓળખની ચકાસણી કરી છે. 26 મે 2022ના રોજ વ્યક્તિત્વ કસોટીમાં કમિશન દ્વારા મારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી