મુંબઈની ટીમ મિની વેકેશન માણવા જામનગર આવી પહોંચી, આ તારીખે દિલ્હી સામે ટકરાશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

દેશભરમાં હાલ ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. જ્યાં ટીમના ખેલાડીઓ મોટીખાવડી સ્થિત રિલાયન્સના ગ્રીન્સ રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે મિની વેકેશન માણશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ આજે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા. તમામનું જામનગર એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત્ કરાયું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

7 એપ્રિલે મુંબઈ દિલ્હી વચ્ચે ટક્કર

ત્યારબાદ તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ગત આઈપીએલ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગરની મુલાકાતે આવી હતી. તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મિની વેકેશન માણશે. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના માલિક નીતા અંબાણી છે. આગામી 7 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે.

હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈનો સતત ત્રીજો પરાજય

નોંધનીય છે કે, સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમ 125 રન જ બનાવી શકી હતી. 126 રનના ટાર્ગેટને રાજસ્થાને 15.3 ઓવરમાં પાર પાડીને સરળ વિજય મેળવ્યો હતો. જ્યારે મુંબઈ ટીમનો સતત ત્રીજો પરાજય થયો હતો.

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી