સમય ક્રાંતિ ન્યૂઝ..
દેશભરના વિવિધ રાજ્યોમાં 10મા અને 12મા બોર્ડના પરિણામ જાહેર થઈ રહ્યા છે. મોટાભાગની બોર્ડ પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓને પાસ થવા માટે 33 ટકા માર્ક્સ જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે પરીક્ષા પાસ કરવા માટે 33 ટકા માર્ક્સનું ફોર્મ્યુલા કોણ લઈને આવ્યું? આજે અમે તમને જણાવીશું કે ભારતમાં યોજાનારી પરીક્ષામાં 33 ટકાની ફોર્મ્યુલા કોણ લઈને આવ્યું અને તેની પાછળનું કારણ શું હતું
33 ટકાની ફોર્મ્યુલાર ક્યાંથી આવી?
આપણે સૌ જાણીએ છીએ કે ભારત લાંબા સમય સુધી અંગ્રેજોનું ગુલામ હતું. આ સમયગાળા દરમિયાન, અંગ્રેજોએ 1858માં ભારતમાં પ્રથમ મેટ્રિકની પરીક્ષા આયોજીત કરી હતી. આ પરીક્ષા પાસ કરવા માટે બ્રિટિશ અધિકારીઓએ ભારતીયો માટે પાસિંગ માર્કસ 33 ટકા નક્કી કર્યા હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે તે સમયે બ્રિટનમાં ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ મેળવનારા જ પાસ થયા હતા. એવું માનવામાં આવે છે કે તેની પાછળનું કારણ એ હતું કે બ્રિટિશ અધિકારીઓને લાગ્યું કે ભારતીયો ઓછા બુદ્ધિશાળી છે. જો કે આજે ભારત કોઈપણ બાબતમાં વિશ્વના બાકીના દેશોથી પાછળ નથી.