સમય ક્રાંતિ ન્યૂઝ..
હિમાચલ પ્રદેશમાં વિશ્વવિદ્યાલયની કેરળ એકાયમાં આવેલ વાયુનાળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનનો કોર્સ કરનાર વિદ્યાર્થીની રેગિંગ કરી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન સાથે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો સામે કાર્યવાહી સાથે કડક સજાની માંગ કરી વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે માંગ કરી છે. આ સાથે જ સુરતમાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બનાવની વિગત એવી છે કે હિમાચલ પ્રદેશમાં વિશ્વવિદ્યાલયની કેરળ એકાયમાં આવેલ વાયુનાળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનનો કોર્સ કરનાર જે.એસ.સિદ્ધાર્થન નામના વિદ્યાર્થીની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કેટલાક અસામાજિક તત્વો દ્વારા નિર્દયતા પૂર્વક રેગિંગ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ આ રેગિંગ બાદ વિદ્યાર્થીની ઘાતકી હત્યા પણ કરવામાં આવી હતી. જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીની હત્યાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સુરત શહેરમાં આવેલ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો સામે કડકમાં કડક સજાની માંગ કરી હતી. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવતી નથી. એટલું જ નહીં પરંતુ આ ગંભીર બનાવવામાં ગુનેગારોને બચાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પશુ ચિકિત્સા સમુદાય માટે માત્ર આ કોઈ આંચકો નથી પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરતી ઘટના હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. હાલ તો એબીવીપી દ્વારા સિદ્ધાર્થન અને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે.