સમય ક્રાંતિ ન્યૂઝ..
વિજલપોરમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિને લઈ દલિત સમાજે રેલી કાઢી હતી. આ રેલી દરમિયાન સંભાજી નગર પાસે રેલી પહોંચતા કોઈ ઈસમ દ્વારા પથ્થર મારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે વાત વણસે તે પૂર્વે જ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે ડી. વાય. એસ.પી. એસ.કે. રાય તેમજ એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લઈ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અને રેલીને આગળ પ્રસ્થાન કરાવી હતી. આ પથ્થરમારો જૂની અદાવતમાં થઈ હોવાનું જાણવા મળ્યું હતું.વિજલપોરમાં શહેરમાં નાનીનાની બાબતે યુવાનો કે પાડોશીઓ વચ્ચે માથાકુટ ચાલતી હોય છે. જે નાની-નાની માથાકૂટ મોટા ઝઘડામાં પરિણમતી હોય છે. ત્યારે આજે વિજલપોરમાં એક રેલી દરમિયાન કોઈ કક્રિચારો કરતા વાત વણસી હતી જોકે વાત વધુ વણસે તે પહેલાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.આજે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ હોવાથી વિજલપોરના દલિત સમાજના લોકો સવારથી ઉજવણી કરી રહ્યા છે.
ત્યારે સાંજે દલિત સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી વિઠ્ઠલ મંદિર પાસેથી નીકળી હતી. દરમિયાન રેલી સંભાજી નગર પાસે પહોંચતા અજાણ્યા ઈસમો દ્વારા રેલી ઉપર પથ્થર મારો કર્યો હતો. જેના પગલે દલિત સમાજના યુવાનો અને અન્ય લોકો સામસામે આવી ગયા હતા જોકે આ ઘટનામાં વાત વધુ વણસે તે પહેલાં જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, નવસારી એલ.સી.બી. પી.આઈ. અને નવસારી એસ.ઓ.જી. પી.આઈ. જલાલપોર પી.આઈ. સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જોકે આ રેલીને પગલે વધુ કોઈ માથાકૂટ ન થાય તેમજ શહેરમાં સુલેહ-શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કર્મીઓ સમગ્ર રેલીમાં સાથે રહી રેલીને પૂર્ણ કરાવી હતી.