વિજલપોર સંભજીનગર ખાતે  આંબેડકર જયંતીની રેલીમાં થયો પથ્થર મારો

સમય ક્રાંતિ ન્યૂઝ..

વિજલપોરમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિને લઈ દલિત સમાજે રેલી કાઢી હતી. આ રેલી દરમિયાન સંભાજી નગર પાસે રેલી પહોંચતા કોઈ ઈસમ દ્વારા પથ્થર મારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે વાત વણસે તે પૂર્વે જ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે ડી. વાય. એસ.પી. એસ.કે. રાય તેમજ એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લઈ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અને રેલીને આગળ પ્રસ્થાન કરાવી હતી. આ પથ્થરમારો જૂની અદાવતમાં થઈ હોવાનું જાણવા મળ્યું હતું.વિજલપોરમાં શહેરમાં નાનીનાની બાબતે યુવાનો કે પાડોશીઓ વચ્ચે માથાકુટ ચાલતી હોય છે. જે નાની-નાની માથાકૂટ મોટા ઝઘડામાં પરિણમતી હોય છે. ત્યારે આજે વિજલપોરમાં એક રેલી દરમિયાન કોઈ કક્રિચારો કરતા વાત વણસી હતી જોકે વાત વધુ વણસે તે પહેલાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.આજે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ હોવાથી વિજલપોરના દલિત સમાજના લોકો સવારથી ઉજવણી કરી રહ્યા છે.

ત્યારે સાંજે દલિત સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી વિઠ્ઠલ મંદિર પાસેથી નીકળી હતી. દરમિયાન રેલી સંભાજી નગર પાસે પહોંચતા અજાણ્યા ઈસમો દ્વારા રેલી ઉપર પથ્થર મારો કર્યો હતો. જેના પગલે દલિત સમાજના યુવાનો અને અન્ય લોકો સામસામે આવી ગયા હતા જોકે આ ઘટનામાં વાત વધુ વણસે તે પહેલાં જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, નવસારી એલ.સી.બી. પી.આઈ. અને નવસારી એસ.ઓ.જી. પી.આઈ. જલાલપોર પી.આઈ. સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જોકે આ રેલીને પગલે વધુ કોઈ માથાકૂટ ન થાય તેમજ શહેરમાં સુલેહ-શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કર્મીઓ સમગ્ર રેલીમાં સાથે રહી રેલીને પૂર્ણ કરાવી હતી.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી