સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉજ્જૈન વાળા બાબા ઉમાકાંતજી મહારાજના આદેશ મુજબ જીવોના રક્ષણ માટે વિશાળ “જીવ જાગરણ ધર્મ યાત્રા”નું આયોજન વ્યારામાં કરવામાં આવ્યું.
તાપી જિલ્લા ના વ્યારા શહેર ના અલગ અલગ વિસ્તારમાંથી રેલી નીકળી હતી જે રેલી જીવ જાગરણ યાત્રા અંતર્ગત કાઢવામાં આવી હતી જે રેલી વ્યારા શહેર ના બજાર વિસ્તાર , જૂના બસ સ્ટેશન સહિત ના વિસ્તારો માં ફરી હતી જે રેલીમાં મહિલાઓ સહિત પુરુષો જોડાયા હતા અને ધર્મ નો પ્રચાર કરવામાં આવ્યો હતો જેની માહિતી મંગળવાર ના રોજ 2.30 કલાકે આપવામાં આવી હતી
સતયુગને ધરતી પર લાવવાના બાબા જયગુરૂદેવના મિશનને આગળ વધારતાં તેમના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ઉજ્જૈન વાળા બાબા ઉમાકાંતજી મહારાજ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને શાકાહારી, ચારિત્રવાન, નશામુક્ત બનવા બનાવવાનો સંદેશ આપી રહ્યા છે. તે સંદર્ભ માં આજે તારીખ 12 એપ્રિલ 2024 મંગળવાર ના રોજ શાકાહારી નશામુક્ત જીવ જાગરણ ધર્મ યાત્રા નું આયોજન વ્યારા નગર માં કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ બધા લોકો શાકાહારી નશામુક્ત થઈ જાય તે સાથેહાથ જોડકર વિનય હમારી તજો નશા બનો શાકાહારી,છોડો વ્યાભિચાર બનો બ્રહ્મચારી સતયુગ લાવાની કરો તૈયારી ના નારા સંદેશાઓ આપીને લોકોને ભવિષ્યમાં આવનારી કુદરતી આફતો, અકાળ મૃત્યુ અને કોરોનાથી પણ ભયાનક રોગોથી બચાવવા માટે વૃંદાવન ધામ સોસાયટી થી શરૂ થઈને મેઈન બજાર ના રસ્તે થઈ સુરતી બજાર થી ઓદીચ્ય બ્રમ્હ સમાજ ની વાડી ખાતે સમાપન થયું હતું.
સમાચારનો વીડિયો જોવા..