સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે. 7 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં ધીમીધારે વરસાદ પડવાની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
શુક્રવારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.
શનિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
રવિવારે રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.
ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈ અનેક નદી નાળા છલકાયા છે.