રાજપૂતોના આક્રોશ વચ્ચે પાટીલનું મોટું નિવેદન, રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે. ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે, ક્ષÂત્રય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જાઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.


પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે કહ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે ક્ષÂત્રય સમાજ માટે એક ટિપ્પણીને કારણે સમાજ રોષ ફેલાયો હતો. જેમાં રૂપાલાજીએ ત્રણેક વખત માફી માંગી હતી. હજી પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભાજપે રાજપૂતના સમાજના આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીની ઉપÂસ્થતિમાં અમે બેઠક કરી હતી. કોઈ પણ સમાજનો રોષ હોય એ સ્વભાવિક છે.પરંતુ હવે માફી માંગી લીધી છે. તેથી ક્ષÂત્રય સમાજે મોટું મન રાખીને માફ કરે.આ સાથે તેમણે કહ્યું કે, ક્ષÂત્રય સમાજના સંકલન સમિતિનો સંપર્ક કરવામાં આવશે. ક્ષÂત્રય સમાજની સંકલન સમિતિને આવતીકાલે ત્રણ વાગ્યે મળશે. ધીમે ધીમે વાતાવરણ થાળે પડે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. ક્ષÂત્રય સમાજને મારી પણ વિનંતી છે કે ભૂલ માટે માફી પણ માંગવામાં આવી છે તો પાર્ટીની સાથે જાડાઈ એવી વિનંતી. અમદાવાદ ગોતા વિસ્તારમાં આવતીકાલે સંકલન સમિતિની ત્રણ વાગે બેઠક મળશે.પાટીલે કહ્યું કે, રાજકોટમાં રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી. અમે સમાજના રોષ વિશે સાંભળીશું. વાતાવરણ સરળ બને તેવા પ્રયાસ કરીશું. અમારી આજે અઢી ત્રણ કલાક જેટલી મીટિંગ ચાલી હતી. જવાબદારી નક્કી કરાઈ છે. જલ્દીથી આ વિવાદનો નિવેડો આવે તેવો પ્રયાસ કરીશું. સમાજને વિનંતી છે કે, ભૂલ થઈ છે, માફી મંગાઈ છે, પણ સમાજ પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે જાડાય. ક્ષÂત્રય સમાજ વર્ષોથી પાર્ટી સાથે રહ્યો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ક્ષÂત્રય આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમજ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ જાડાયા હતા. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી