સમય ક્રાંતિ ન્યૂઝ..
આજે કોંગ્રેસ પક્ષની 39 બેઠકની પેહેલી યાદી બહાર પાડી છે છે ત્યારે હવે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની કવાયત શરૂ થઈ ચૂકી છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ વલસાડ બેઠક પર અનંત પટેલને ટિકિટ અપાશે તેવા સંકેત મળી રહ્યાં છે.
કારણકે આ બંને નેતાઓને તૈયારીઓ કરવા માટે જાણ કરવામાં આવી છે હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળે તેવી શક્યતા છે. હાલતો પક્ષ તરફથી સૂચના મળતા ગેનીબેન ઠાકોર અને અનંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.
જોકે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ ગયા બાદ ઉમેદવારો અંગે જાહેરાત કરવામાં આવશે.લોકસભા બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. અત્રે જણાવીએ કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યોને મેદાને ઉતારી શકે છે. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાનું નામ તો બનાસકાંઠા બેઠક માટે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે. પાટણ બેઠક માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ મળી શકે છે. મહેસાણા બેઠક પર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે.