સમય ક્રાંતિ ન્યૂઝ..
કોંગ્રેસના બેંક ખાતાઓ સામે આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ રહેશે હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (ITAT) તરફથી ઝટકો લાગ્યો છે. હકિકતમાં થોડા દિવસ પહેલા જ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે માંગ કરી હતી કે પાર્ટી દ્વારા 210 કરોડ રૂપિયા વસૂલવામાં આવે. હવે આ જ કાર્યવાહી સામે દેશની સૌથી જૂની પાર્ટી ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (ITAT) પાસે ગઈ હતી. પરંતુ ત્યાંથી તેને આંચકો લાગ્યો.
ITATને આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી
ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટીના આદેશ પછી, કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ ITATને આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી કરી જેથી તે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકે. તેમણે કહ્યું, “તમે સ્ટે અરજી ફગાવી દીધી હોવાથી, જેના પક્ષકારો માટે દૂરગામી પરિણામો આવશે. હું કોર્ટને વિનંતી કરી શકું છું કે તે આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખે જેથી હું હાઈકોર્ટમાં જઈ શકું?’ જો કે, ITATએ અરજી પર ધ્યાન આપવાનો ઈનકાર કરી દીધો હતો કે તેને આવા આદેશો પસાર કરવાનો કોઈ અધિકાર નથી.