સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારતીય નૌસેનાએ વોરશિપ INS કોલકાતાએ અરબ સાગરમાં 35 દરિયાઇ લૂંટારાઓની અટકાયત કરી છે. લુટારાઓની અટકાયત બાદ INS કોલકાતા વેપારીક જહાજ MV રૂએનના 17 ચાલક દળના સભ્યોનું રેસક્યૂ કરતા તેમની સાથે ભારતીય પશ્ચિમ તટ તરફ રવાના થયું હતું.
ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય નૌસેનાએ દરિયામાં ઘણા મોટા અને લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ દરિયાઇ લૂંટારાઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.ભારતીય નૌસેના બનાવની જાણ થતા જ એક્ટિવ થઇ હતી અને અપહરણ કરાયેલા માલવાહક જહાજ એમવી રૂએનને રોકી દીધો હતો. તે બાદ તેમાં સવાર સોમાલી દરિયાઇ ડાકુઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. ડાકુઓના ઇનકાર કરવા પર કેટલાક કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તે બાદ નૌસેનાએ 35 ડાકુઓની અટકાયત કરી હતી.
જહાજમાં આ દેશના નાગરિકો હતા
ભારતીય નૌસેનાને મળેલી જાણકારી અનુસાર, જે જહાજનું ડાકુઓએ અપહરણ કર્યું હતું જેમાં મોટાભાગના અંગોલા,મ્યાનમાર અને બર્મુડાના નાગરિક સામેલ હતા. આ અઠવાડિયે સોમાલી દરિયાઇ ડાકુઓએ બાંગ્લાદેશના ઝંડા ધરાવતા એક માલવાહક જહાજ પર કબ્જો કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે 2017 બાદથી સોમાલી દરિયાઇ ડાકુ કોઇ વેપારી જહાજને સફળતાપૂર્વક અપહરણ કરી શક્યા નથી.