IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે એક વિકેટના નુકસાને 135 રન બનાવી લીધા છે. જયસ્વાલ ફિફ્ટી ફટકારીને આઉટ થયો છે. જ્યારે રોહિત શર્મા અણનમ 52 રન બનાવીને પરત ફર્યો છે. નોંધનીય છે કે, પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-0થી આગળ છે.

ભારતીય સ્પિનરો સામે બેઝબોલનું સૂરસૂરિયું

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમની શરૂઆત શાનદાર રહી હતી. જેક ક્રોલી અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. કુલદીપે ડકેટને 27 રન આઉટની કરીને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે, લંચ સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે 2 વિકેટે 100 રન બનાવની લીધા હતા. પરંતુ લંચ બાદ એક પછી એક સતત વિકેટ પડતા આખી ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરો સામે બેઝબોલનું સૂરસૂરિયું થઈ ગયું હતું. એક માત્ર જેક ક્રોલીએ ફિફ્ટી ફટકારી હતી.

કુલદિપે સૌથી વધુ વિકેટ ઝડપી

ખાસ કરીને ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ સરેન્ડર કરી દીધું હતું. જેક ક્રોલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેયરસ્ટોએ 29 રન બનાવીને કુલદિપનો શિકાર બન્યો હતો. કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ ખેરવી હતી. 100મી ટેસ્ટ મેચ રમી રહેલા અશ્વિને પણ 4 વિકેટ લીધી હતી. એક સફળતા જાડેજાને મળી હતી. આમ તમામ 10 વિકેટો સ્પિનરોએ લીધી હતી.

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી