સમય ક્રાંતિ ન્યૂઝ..
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધી ઝાલોદમાં જાહેરસભા સંબોધ્યા બાદ યાત્રા લીંમડી ખાતે પહોંચશે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક સ્થળોની મુલાકાત કરશે, જેમાં કંબોઈ ધામ, પાવાગઢ મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર , સ્વરાજ આશ્રમ બારડોલીનો સમાવેશ થાય છે.
8 માર્ચ
- સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે
- દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા યાત્રા પહોંચશે
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે
- ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું સ્વાગત થશે
- 11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે યાત્રા પહોંચશે
- બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા હાલોલ પહોંચશે
- હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ, સ્વાગતનું આયોજન
- હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે
- પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા યાત્રા પહોંચશે
- ન્યાય યાત્રાનું બોડીલી ખાતે રાત્રી રોકાણ
9 માર્ચ
- સવારે 8 વાગ્યે બોડેલી ખાતે પદયાત્રા યોજાશે
- બોડેલીથી ન્યાય યાત્રા નસવાડી પહોંચ્યા બાદ સ્વાગત અને બેઠક યોજાશે
- નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત, પદયાત્રા, ભોજનનું આયોજન
- યાત્રા રાજપીપળાથી કાલાઘોડામાં બેંક ઓફ બરોડા સર્કલ પહોંચશે.
- બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે કોર્નર બેઠક યોજાશે.
10 માર્ચ
- સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન
- રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે
- બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન
- યાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે
- વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
- યાત્રા વ્યારાથી સોનગઢ પહોંચશે જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે
- યાત્રા 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે