આ આદિવાસી કલાકાર પાસે તાડના સૂકા પાંદડામાંથી પંખા બનાવવાની અદભુત કળા, પણ કદરદાન કોઈ નહિ !

સમય ક્રાંતિ ન્યૂઝ..

નસવાડી તાલુકાના રતનપુર (ક) ગામે એક આદિવાસી કારીગર તાડના વૃક્ષના સૂકા પાંદડા માંથી રંગબેરંગી પંખા બનાવે છે. તંત્ર દ્વારા આ કારીગર ને આજદિન સુધી કોઈ પણ જાતની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી નથી. પંખા બનાવવાની અદ્ધભૂત કલા આ કારીગર પાસે છે. પરંતુ ગરીબ હોવાથી પંખા બનાવ્યા બાદ વેચવા માટે તેની પાસે કોઈ સુવિધા નથી. સરકાર આવા કારીગરો પાસેથી હસ્ત કલા માં વેચાતી વસ્તુઓમાં આ કારીગર ના પંખા ખરીદી ને રોજગારી આપે તેવી આ પરિવાર માંગ કરી રહ્યું છે

નસવાડી તાલુકાના રતનપુર (ક) ગામે રહેતા રાઠવા જેઠાભાઇ છોડાભાઈના પરિવારમાં બે પુત્રો છે. રોજગારી માટે કોઈ સુવિધા ના હોવાથી બંને પુત્રો સૌરાષ્ટ્ર મજૂરી કામે ગયા છે. જયારે પતિ પત્ની બંને સાથે રહે છે . તેઓ પાસે રોજગારી મેળવવા માટે કોઈ સાધન ના હોવાથી અને વૃદ્ધ અવસ્થામાં હોવાથી મહેનત મજૂરી નું કામ થતું નથી . જયારે તેઓ તાડના વૃક્ષના પાંદડા તોડીને તેને સુકવેલા પાંદડાને ગુંથીને પંખા બનાવે છે . તેની અદ્ધભૂત કલા મન મોહી લે છે. પંખામાં અલગ અલગ કલર પુરવામા આવે છે. એક પંખો 50 રૂપિયામાં વેચાણ કરે છે. પરંતુ ગામડું હોવાથી પંખા નું વેચાણ ઓછું થાય છે. સરકારે આવા કારીગરોને જીવન નિર્વાહ માટે આધુનિક સાધનો ગરીબ કલ્યાણ મેળામાં આપવા જોઈએ અને હસ્ત કલા થી બનાવેલા પંખા ની ખરીદી સરકારે કરવી જોઈએ .જેથી આવા પરિવારો ને રોજગારી મળી રહે. તેઓના જણાવ્યા મુજબ આટલા વર્ષોમાં સરકારે કોઈ લાભ આપ્યો નથી. મારા બનાવેલા પંખા આખા તાલુકામાં જોવા નહિ મળે. સરકાર મારા બનાવેલા પંખાની ખરીદી કરે તો મને રોજગારી મળે તેમ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી