સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉત્રાણના ભરથાણા ગામ રામદર્શન સોસાયટીમાં લગન્ પ્રસંગમાં હાજરી આપવા માટે વડોદરાથી આવેલા કુર્લી ઉપર ગરાસિયા પિતા-પુત્રએ તલવારના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ક્રિષ્ણાનગર સોસાયટી બાજવા રેલવે એ-કેબીનની પાછળ બાજવા વડોદરા ખાતે રહેતા અને કુલી તરીકે કામ કરતા મૂળ એમ,પીના ધાર જીલ્લાના સરદારપુરના પટલાવદીયા ગામના વતની ૪૨ વર્ષીય મદન બગાજી ખીંચી ગઈકાલે રાત્રે આઠ વાગ્યે સુરતમાં ઉત્રાણના ભરથાણા ગામ રામદર્શન સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા.મદનભાઈ ખીંચી તેમના સાળાના ઘરની બહાર ગેટ પાસે ઉભા હતા તે વખતે ભરથાણા ગામમાં રહેતા સુરેશ દગજી ગરાસિયા અને તેના દીકરા ભરત ગરાસિયા, પ્રવિણ ગરાસિયાઅને મદન ગરાસિયા દ્વારા તેમની પાસે આવી કોઈ પણ વાંક વગર તેનો કોલર પકડી ડાબા પગના ઘુંટણના ભાગે તલવારના ઘા તેમજ લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો. ઉત્રાણ પોલીસે મદનભાઈ ખીંચીની ફરિયાદ લઈ ગરાસિયા પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.