સમય ક્રાંતિ ન્યૂઝ..
અગાઉ હૃદયરોગનો હુમલો અને તેનાથી થતાં મોતનું માણ ઓછું રહેતું હતું અને તે પણ મોટે ભાગે વધુ વયના અને મેદસ્વી લોકોમાં હૃદયરોગની શક્યતા વધુ રહેતી. પરંતુ હાલમાં જીવનમાં તણાવ, જીવનની ભાગદોડ, બિનઆરોગ્યદ અને અયોગ્ય જીવનશૈલીને કારણે યુવાનોમાં પણ હૃદયરોગના હુમલાનું અને તેને કારણે થતાં મોતનું માણ વધ્યું છે. અત્યંત શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોમાં પણ હવે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહયા છે.
ગણદેવી તાલુકાના ખેરગામ ખાતે એસઆરપી જવાનનું ત્રણ-ચાર દિવસ અગાઉ રાત્રે ઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. હવે આવો જ કિસ્સો બીલીમોરા રેલવે આઉટપોસ્ટ ચોકીમાં ફરજ બજાવતા આરપીએફના જવાન સાથે પણ બન્યો છે. જેમાં બીલીમોરા રેલવે ચોકીમાં ફરજ બજાવતા જવાનનું ચાલુ ફરજે હૃદયરોગનો હુમલો આવતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસ અને રેલવે ડિવિઝન પોલીસને જાણ કરાતા, પોલીસે મૃતદેહનો કબજા લઇ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આમ ત્રણ દિવસનાં ગાળામાં જ બે પોલીસ જવાનોનાં હૃદયરોગનાં હુમલાને કારણે મોત નીપજ્યા છે.ત્રણ-ચાર દિવસ અગાઉ હૃદયરોગનાં હુમલામાં મૃત્યુ પામેલ એસઆરપી જવાન ૩૭ ïવર્ષીય વિકી શંકરભાઈ પટેલ વર્ષ ૨૦૧૫માં એસઆરપીમાં જાડાયા હતા. તેઅો ઉમરગામ તાલુકાનાં કલગામ ખાતે ગ્રુપ નં. ૧૪માં ફરજ બજાવતા હતા. તેમની લગભગ નવ વર્ષની સરકારી નોકરી દરમ્યાન તેઅો સ્વસ્થ અને આરોગ્યદ જીવન જીવી રહયા હતા. બે વર્ષનું તેમનું દાંપત્યજીવન ખુશાલીભર્યું રહયું હતું. મળસ્કે સાડા ચારેક વાગ્યે તેમને ઉઠાડવાનો યાસ કરાતા તેઅો ન ઉઠતાં, તેમના ભાઇએ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડતા, ત્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.