સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી લોકસભા 2024ની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂકયું છે તો બીજી તરફ રાજકીય પક્ષો પણ હવે ચૂંટણી પ્રચારની શરૂવાત કરી દીધી છે ત્યારે 23 લોકસભા બારડોલી બેઠકના કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કરાયા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીના હસ્તે વ્યારા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ….
લોકસભાની ચુંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે અને ઉમેદવારો પણ હવે ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે ત્યારે 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચુંટણીનો જંગ ખેલાશે.આજે વ્યારા ખાતે કોગ્રેસ દ્વારા 23 બારડોલી લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા સાથે વ્યારા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના ત્રણ હોદ્દેદારો ઘરવાપસી કરી ફરી કોંગ્રેસમાં જોડાયા હતાં.તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને વર્ષ 2017માં ભાજપ તરફથી ધારાસભ્યની ચુંટણી લડી ચૂકેલા અરવિંદ ચૌધરી,વ્યારા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કેવજી ચૌધરી અને ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદાર મનીષ ગામીત કોંગ્રેસમાં જોડાયા હતાં.પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત અને આનંદ ચૌધરી,સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા..